રવિવાર, 21 ઑગસ્ટ, 2016

કોમી એકતા: આ દરગાહમાં થાય છે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી

રાજસ્થાનમાં એક એવી જગ્યા છે, જ્યાં મુસ્લિમ સમાજના લોકો દરગાહમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરે છે. જયપુરથી 200 કિલોમીટર દૂર ઝુન્ઝુનું જિલ્લાના ચિરવા સ્થિત નરહર દરગાહ કે જેને શરીફ હજરત શકરબાર દરગાહ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં ભગવાન કૃષ્ણના જન્મદિન એટલે જન્માષ્ટમી પર 3 દિવસ ઉત્સવ ઉજવવામાં આવે છે. અહીં મુસ્લિમ સમાજના લોકો દરગાહમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પડે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો